રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી, પુત્ર આકાશ અંબાણી, પુત્રવધૂ શ્લોકા, પૌત્ર પૃથ્વી અને પૌત્રી વેદા સાથે દ્વારકામાં જગત મંદિરે ભગવાન દ્વારકાધીશનાં દર્શન કરવા પહોંચ્યા હતા. જગત મંદિરના પ્રવેશદ્વાર પર પૂજારીઓએ વૈદિક મંત્રોચ્ચાર અને પુષ્પોથી અંબાણી પરિવારનું સ્વાગત કર્યું હતું. તેમણે રાષ્ટ્રના કલ્યાણ અને મુંબઈ ઇન્ડિયન્સની જીત માટે પ્રાર્થના કરી હતી. અંબાણી પરિવારનું મંદિરના ટ્રસ્ટીમંડળે શાલ ઓઢાડીને વિશેષ સન્માન કર્યું હતું અને તેમને ધાર્મિક સાહિત્ય પણ ભેટ આપવામાં આવ્યું હતું. મૂકેશ અંબાણીએ મંદિરની વ્યવસ્થા અને પવિત્રતાની પ્રશંસા કરી હતી.