જામસાહેબનાં બહેન રાજકુમારી મુકુંદકુમારીનું નિધન

Wednesday 28th May 2025 06:10 EDT
 
 

જામનગરઃ જામ સાહેબના વચેટ બહેન અને પ્રતાપગઢના પૂર્વ મહારાણી રાજકુમારી મુકુંદકુમારીનું યુનાઈટેડ કિંગડમમાં અવસાન થયું છે. જામ સાહેબે શોક સંદેશમાં જણાવ્યું કે, તેમના બહેન પ્રતિભાશાળી અને બહાદુર વ્યક્તિત્વ ધરાવતા હતા. તેમણે પોતાના બહેનના નિધનથી વ્યથિત હૃદયે શુભચિંતકોને આ સમાચાર આપ્યા હતા. જામ સાહેબે કુળદેવી માતાજીને પ્રાર્થના કરી છે કે તેમના બહેનના આત્માને શાશ્વત શાંતિ મળે. રાજકુમારી મુકુંદકુમારીના નિધનથી સમગ્ર રાજ પરિવાર શોકમગ્ન છે.


comments powered by Disqus