નક્સલી હુમલામાં ભાવનગરનો જવાન શહીદ

Wednesday 28th May 2025 06:10 EDT
 
 

ઘોઘાઃ છત્તીસગઢના વિજાપુર તુમરેલ વિસ્તારમાં નક્સલીઓ સાથેની અથડામણમાં ભાવનગર જિલ્લાના વીર સપૂત મેહુલકુમાર સોલંકીએ શહાદત વહોરી છે. તેઓ CRPFની સ્પેશિયલ કમાન્ડો યુનિટ 'બ્લેક કોબ્રા'માં ફરજ બજાવતા હતા.
મેહુલકુમાર સિહોરના દેવગાણા ગામના વતની હતા. તેમના પિતા નંદલાલભાઈના પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. વીર જવાન મેહુલકુમાર સોલંકીની શહાદતના સમાચાર મળતાં સમગ્ર સિહોર તાલુકો અને ભાવનગર જિલ્લામાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.


comments powered by Disqus