હળવદઃ મોરબી જિલ્લાના હળવદના ચરાડવા ગામે આવેલા મહાકાળી આશ્રમના મહંત દયાનંદગિરિ બાપુ 23 મેએ 133 વર્ષની વયે બ્રહ્મલીન થયા. 4 નવેમ્બર 1892એ કાર્તિક સુદ પૂનમના દિવસે જન્મેલા દયાનંદગિરિ બાપુની ઉંમર 133 વર્ષની હતી.
દયાનંદગિરિ બાપુ ત્રણ દિવસ રાજકોટની હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. બાપુએ સવારે 5:30એ અંતિમ શ્વાસ લીધા. તેમના નિધનથી ચરાડવા ગામ અને હળવદમાં શોકની લાગણી છવાઈ છે. મહાકાળી આશ્રમ મોરબીના લોકો માટે આસ્થાનું કેન્દ્ર રહ્યો છે.