જામનગર: વિધાનસભાના પૂર્વ અધ્યક્ષા નિમાબહેન આચાર્યના પુત્ર મૌલીનની ભાગીદારીવાળી કચ્છની રીગલ શિપિંગ કંપની સામે વધુ એક કેસ નોંધાયો છે. જામનગરની રિદ્ધિ મરિન સર્વિસ-એલએમપી પેઢીએ પણ 2016-17 અને 2021 સુધીના વ્યાજ સહિતના લેણાં વસૂલવા નેશનલ કંપની લો ટ્રિબ્યુનલમાં ફરિયાદ દાખલ કરી છે. મૌલીનની કંપની સામે પહેલેથી જ રૂ. 5 કરોડની ઉઘરાણીનો કેસ પેન્ડિંગ છે. આ કંપની સામે 5 દિવસ પહેલાં જામનગરની શ્રીજી શિપિંગ કંપનીએ પણ રૂ. 8.56 કરોડની ઉઘરાણી પેટે ફરિયાદ દાખલ કરી હતી.