વિશ્વભરના પારસીઓ માટે તીર્થસ્થળ ઉદવાડા ગામ ખાતે ત્રિદિવસીય ઉદવાડા ઇરાનશાહ ઉત્સવમાં દેશ-વિદેશથી પારસીઓ ઊમટી પડ્યા હતા. કાર્યક્રમના બીજા દિવસે વડાદસ્તુર ખુરશેદજીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે પારસીની સંસ્કૃતિને વિશ્વ ફલક પર લઈ જવા પારસીનો મેળો થવો જોઈએ તેનો આગ્રહ કર્યો હતો.

