અમદાવાદઃ ટીઆરપી ગેમઝોનમાં 27 નિર્દોષ લોકો જીવતા ભુંજાવાના કેસના 7 માસ બાદ ભ્રષ્ટાચારી અધિકારીઓની મિલકત ટાંચમાં લેવા સરકારે દરખાસ્ત પર મંજૂરી આપી છે. રાજકોટ અગ્નિકાંડના મુખ્ય આરોપી અને એસીબીના અપ્રમાણસર મિલકતના નોંધાયેલા ગુનામાં પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાની રૂ. 23.15 કરોડની મિલકતો ટાંચમાં લેવા એસીબીએ રાજ્ય સરકારમાં કરેલી અરજી મંજૂર કરાઈ છે.

