ગોંડલ ભાજપના પીઢ નેતા જયંતીભાઈ ઢોલનું નિધન

Wednesday 01st October 2025 05:52 EDT
 
 

ગોંડલઃ ભાજપના દિગ્ગજ નેતા, જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી તેમજ ગોંડલ માર્કેટ યાર્ડ અને નાગરિક બેન્કના પૂર્વ ચેરમેન જયંતીભાઈ ઢોલનું રાજકોટસ્થિત તેમના પુત્રના ઘરે નિધન થયું. તેમના નિધનના સમાચાર ગોંડલ પહોંચતાં જ ભાજપ પરિવાર સહિત સમગ્ર ગોંડલમાં શોકનું વાતાવરણ છે. જયંતીભાઈને 4 વર્ષ પહેલાં પેરાલિસિસનો એટેક આવ્યો હતો, જેના પગલે તેઓ જાહેરજીવનથી અલિપ્ત બન્યા હતા અને ત્યારથી જ તેમની તબિયત અસ્વસ્થ હતી. 


comments powered by Disqus