ઇદ-ઉલ-ફિત્રની ઉજવણી

Wednesday 02nd April 2025 05:09 EDT
 
 

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં સોમવારે ઈદની ઉજવણી થઈ હતી. રવિવારે સાંજે ગુજરાત ચાંદ કમિટીએ માહે ઇદ-ઉલ-ફિત્રનો ચાંદ દેખાયો હોવાની જાહેરાત કરતાં સોમવારે ઈદની ઉજવણી કરાઈ હતી. રમજાનમાં સળંગ 29 દિવસ રોજા બાદ ઇદની ખુશી મનાવાઈ હતી. મુસ્લિમ બિરાદરો સોમવારે સવારે અમદાવાદની વિવિધ મસ્જિદોમાં ઈદની વિશેષ નમાજ અદા કરી મુસ્લિમ બિરાદરોએ એકબીજાને મુબારકબાદી પાઠવી હતી.


comments powered by Disqus