રાષ્ટ્રપતિએ વાંકાનેરમાં બનેલી માટીની નોનસ્ટિક તાવડી ખરીદી

Wednesday 02nd April 2025 05:08 EDT
 
 

રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા ઉદ્યમ ઉત્સવમાં દેશભરના કલાકારોએ ભાગ લીધો હતો. આ ઉત્સવમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ વાંકાનેરના એક કલાકારે માટીમાંથી બનાવેલી નોનસ્ટિક તાવડી તેમજ દહીંના બાઉલની ખરીદી કરી હતી. ઉદ્યમ ઉત્સવ માટે વાંકાનેરના ઈશ્વરભાઈને માટીકલા રજૂ કરવાની તક અપાઈ હતી.


comments powered by Disqus