આનંદપુરાના પરિવારના પુત્ર પછી પુત્રીનો મૃતદેહ મળ્યો

Wednesday 04th June 2025 07:02 EDT
 
 

મહેસાણાઃ વિજાપુર તાલુકાના આનંદપુરા (કુકરવાડા) ગામના અને વર્ષોથી અમદાવાદ રહેતા બ્રિજેશભાઈ પટેલ અને તેમનો પરિવાર ગેરકાયદે નદીમાં થઈ બોટ મારફતે અમેરિકામાં ઘૂસણખોરી કરી રહ્યો હતો, ત્યારે તેમની બોટ ઊંધી વળી ગઈ હતી અને પરિવારના તમામ સભ્યો ડૂબી ગયા હતા. 25 દિવસ પછી તેમના પરિવારની 10 વર્ષની દીકરી માહી પટેલનો કેલિફોર્નિયા બીચ પરથી મૃતદેહ મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ દંપતી ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યું હતું. ઘટના બાદ બ્રિજેશ પટેલ ગંભીર ઇજાના કારણે હાલ કોમામાં છે. આ ઘટનાને
લઈ પરિવારમાં ભારે શોક છવાયો છે.


comments powered by Disqus