ડભોઈ તાલુકાના તીર્થધામ ચાણોદ ખાતે ગંગાદશહરા પર્વની પારંપરિક રીતે શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી. ગામમાં સ્નાનઘાટો રોશનીથી સજાવાયા હતા. સંધ્યા થતાં તમામ ઘાટ ઝળહળી ઊઠ્યા હતા. સાંજે 6 વાગ્યે મલ્હારાવઘાટ અને ચક્રતીર્થ ઘાટ ખાતે મહાઆરતીનું આયોજન કરાયું, જેમાં દેશભરથી આવેલા શ્રદ્ધાળુ ઊમટી પડે છે.