આણંદઃ સમૃદ્ધ અને વૈવિધ્યસભર વહીવટી પૃષ્ઠભૂમિ ધરાવતાં પ્રતિષ્ઠિત ડો. ગૌરી ત્રિવેદીની ભાઈકાકા યુનિવર્સિટીના પ્રમુખ તરીકે નિમણૂક કરાઈ છે. આ સાથે તેઓ વર્તમાન પ્રમુખ અતુલભાઈ પટેલના અનુગામી બનશે. ડો. ત્રિવેદી યુનિવર્સિટીના ગવર્નિંગ બોડીનાં સભ્ય, IAS અધિકારી તરીકે બહોળો અનુભવ અને વિવિધ ક્ષેત્રોમાં સલાહકાર અને બોર્ડ સભ્ય તરીકેની તેમની અગાઉની ભૂમિકાઓનો વ્યાપક અનુભવ ધરાવે છે. અતુલભાઈ પટેલના 7 વર્ષના નેતૃત્વ હેઠળ ભાઈકાકા યુનિવર્સિટીએ નોંધપાત્ર વિકાસ સાધ્યો છે. કોવિડ-19 મહામારીના સમયગાળામાં 10 હજારથી વધુ દર્દીઓએ સારવાર મેળવી અને સંશોધનને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.