પાકિસ્તાને ગુજરાત બોર્ડર પર ટેન્ક, તોપખાનાં ગોઠવ્યાં હતાં

Wednesday 04th June 2025 06:12 EDT
 
 

અમદાવાદઃ પહલગામ હુમલા બાદ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા ભારત દ્વારા ઓપરેશન સિંદૂર છેડાયું હતું. આ દરમિયાન ગુપ્તચર શાખાને પાકિસ્તાન સેનાની હલચલની માહિતી મળી હતી કે પાકિસ્તાને ગુજરાત સરહદ પર ટેન્ક અને તોપખાનાં ગોઠવી દીધાં છે. જેને લઈને ગુજરાત ફ્રન્ટિયરે દુશ્મનને યોગ્ય જવાબ આપવા તૈયારી શરૂ કરીને તમામ સરહદી ચોકી પર ઉચ્ચ કેલિબરનાં શસ્ત્રો અને સર્વેલન્સ સાધનો તહેનાત કર્યાં હતાં. સાથે 600થી વધુ ડ્રોનના હુમલા પાકિસ્તાને કર્યા હતા. જો કે તેમના ઈરાદા સફળ થાય તે પહેલાં જ ભારતીય સેનાએ વળતો જવાબ આપીને તમામ ડ્રોનને તોડી પાડ્યા હતા. ગુજરાત બોર્ડરની મુલાકાતે આવેલા BSFના IG અભિષેક પાઠકે સેનાના પરાક્રમ અંગે માહિતી આપી હતી.


comments powered by Disqus