ઈસ્લામાબાદઃ ભારત દ્વારા સિંધુ જળ સંધિ અટકાવી દેવાયા બાદ પાકિસ્તાનમાં પાણીની ભારે અછત જોવા મળી રહી છે. પાકિસ્તાનની ઈડસ રિવર સિસ્ટમ ઓથોરિટી (આઇઆરએસએ)એ ચિનાબ નદીમાં જળ પ્રવાહમાં મોટા ફેરફારને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. અને કહ્યું છે કે આ ફેરફારની અસર સેન્ટ્રલ પંજાબના ચાવલ ક્ષેત્રમાં મંગળા ડેમના જળ ભંડારણ પર પણ પડી રહી છે.
આઇઆરએસએના પ્રવક્તા ખાલિદ, ઇદરીસે કહ્યું હતું કે ભારત દ્વારા ચિનાબ નદીના જળ પ્રવાહમાં ઘટાડો કરવાથી ન માત્ર ખરીફ પાક સાથે જ ડાંગરની ખેતી પર પણ માઠી અસરનો ખતરો રહેલો છે. ડેમના પાણીનું સ્તર પણ ઘટવા લાગ્યું છે. પાકિસ્તાન કમીશનર ફોર ઇંડસ વોટર્સ, (પીસીઆઇડબલ્યુ)ને દર કલાકે જળ પ્રવાહનો ડેટા મળે છે. ચિનાબ નદીમાં 29 મેના સરેરાશ જળ પ્રવાહ 69,100 ક્યૂસેક અને 30 મેના રોજ 78,000 ક્યૂસેક હતું. જે 31 મેના અચાનક ઘટીને 22,700 ક્યૂસેક થઈ ગયું.
પાકિસ્તાનના અધિકારીઓએ જણાવ્યું હતું કે ચિનાબમાં જળ પ્રવાહમાં ઉતાર ચડાવ બહુ જ ગંભીર છે, સેન્ટ્રલ પંજાબના ડાંગર ક્ષેત્રની સિંચાઇ જરૂરતોને પુરી કરવા માટે આઇઆરએસએને મંગળા જળાશયથી જળ પ્રવાહને 10 હજાર ક્યૂસેકથી વધારીને રૂપૂજાર ક્યૂસેક કરી દેવાયું તે મંગળા ડેમને જળ ભંડારણ ગંભીર રીતે પ્રભાવિત થશે.