મનરેગા કૌભાંડમાં ખાબડના બંને પુત્રોની ફરીથી ધરપકડ

Wednesday 04th June 2025 06:43 EDT
 
 

દાહોદઃ મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના બંને પુત્રોની જામીન મળ્યા બાદ ફરી ધરપકડ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, કિરણ અને બળવંત પર અન્ય બે કેસ પણ નોંધાયા છે.
જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના નિયામક શરદકુમાર બાંભરોલિયાની ફરિયાદ મુજબ લવારિયા ગામે 21 કામ કાગળ પર બતાવી રૂ. 18.41 લાખની ગેરકાયદે ચુકવણી કરી દેવાઈ છે.
ધાનપુર તાલુકાના ભાણપુર ગામમાં 11 કામો કાગળ પર બતાવી રૂ. 49.93 લાખના ભ્રષ્ટાચાર આરોપી બળવંત ખાબડની ધરપકડ કરાઈ છેે. અહીં પણ કૌભાંડ પકડાતાંં બીઆરડીએના નાયબ ચીટનીશે ગુનો નોંધાવ્યો છે. જેમાં બળવંત ખાબડની એજન્સી શ્રી રાજ કન્સ્ટ્રક્શન કુ. પેપરોએ માલ સપ્લાય કર્યા વગર જ રૂ. 33 લાખ ઉપરાંતનાં બિલ પાસ કરાવ્યાનો ઉલ્લેખ છે.


comments powered by Disqus