ભુજઃ રાપર ભાજપ કાર્યાલય ખાતે 31 મેએ લોકમાતા અહિલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતી નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે સ્વતંત્રતા સંગ્રામમાં તેમના યોગદાન વિશે માહિતી અપાઈ હતી. રાપર તાલુકા ભાજપના પ્રમુખ નશાભાઈ દૈયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં સૌ આગેવાનોએ લોકમાતા અહિલ્યાબાઈને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ ચાંદભાઈ ભીંડે, માજી પ્રમુખ હઠુભા સોઢા, મદુભા વાઘેલા, ઉમેશ સોની અને નિલેશ માલી ઉપસ્થિત રહ્યા હતા.