શાંતિ-એકતાના સંદેશ સાથે સદ્દામબાપુની પોરબંદરથી પહલગામ સુધી અહિંસાયાત્રા

Wednesday 04th June 2025 06:11 EDT
 
 

પોરબંદરઃ પહલગામના આતંકી હુમલા બાદ દેશભક્તિની અનોખી મિસાલ સામે આવી છે. જામજોધપુરના મુસ્લિમ યુવાન સૈયદ સદ્દામ બાપુ કાદરીએ પોરબંદરથી પહલગામ સુધીની 2000 કિલોમીટરની પદયાત્રાનો પ્રારંભ કર્યો છે. આ પદયાત્રા ગાંધીજીના જન્મસ્થળ પોરબંદરના માણેકચોકથી 30 મે શુક્રવારે બપોરે 4 વાગ્યે શરૂ થઈ. સદ્દામ બાપુ આતંકવાદનો વિરોધ અને દેશમાં શાંતિ, એકતા અને ભાઈચારાનો સંદેશ લઈને નીકળ્યા છે.
પહલગામના આતંકી હુમલા બાદ ભારતના વળતા જવાબ સાથે ભારતીયોમાં દેશપ્રેમ જોવા મળી રહ્યો છે. જામજોધપુરના મુસ્લિમ યુવાને પોરબંદરથી પહલગામ સુધીની 2000 કિ.મી. પદયાત્રાનો 30 મેથી પ્રારંભ કર્યો છે. અહિંસાનો સંદેશ લઈને નીકળનારી આ અહિંસાયાત્રા પોરબંદરથી પહલગામ સુધી લગભગ 2000 કિલોમીટર લાંબી હશે.


comments powered by Disqus