રાજકોટઃ શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં શ્રમિક પરિવારનું 7 વર્ષનું બાળક ઘર પાસે રમી રહ્યું હતું, ત્યારે અચાનક આવી ચડેલા શ્વાનના ટોળાએ તેને ફાડી ખાતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૂળ બિહારના પટના ગામના વતની અને 5 વર્ષથી શાપર ગેટમાં કારખાનાની ઓરડીમાં રહેતા અજિતકુમાર યાદવનો 7 વર્ષીય પુત્ર આયુષ 30 મેએ સાંજે ઘર પાસે રમતો હતો. તે દરમિયાન આવી ચડેલા 5થી વધુ શ્વાનના ટોળા દ્વારા બાળક પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમણે બાળકના આખા શરીરે બચકાં ભરી લીધાં હતાં. માથાના વાળથી લઈ પગના નખ સુધીનું શરીર ફાડી ખાતાં બાળક લોહીલુહાણ થઈ ગયું હતું.