મોરબીઃ વાંકાનેરના લાકડધાર ગામના ઇનડિઝાઇન સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાં 41 વર્ષીય નવલસિંહ કનુભાઈ રાઠૌરે આત્મહત્યા કરી લીધી. સિરામિક ઉદ્યોગમાં મંદીમાં આર્થિક તંગીથી કંટાળીને દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. મધ્યપ્રદેશના નવલસિંહે આર્થિક મુશ્કેલીના કારણે આ પગલું ભર્યું હતું. પોલીસે આ મામલે નોંધ કરીને કાર્યવાહી શરૂ કરી છે.