દેશમાં હવે 9 હજાર હોર્સપાવરનું એન્જિન ધરાવતી ટ્રેન દોડશેઃ રેલવેમંત્રી

Wednesday 05th March 2025 04:56 EST
 
 

દાહોદઃ દાહોદમાં રેલવે વર્કશોપમાં સંપૂર્ણપણે કોમ્પ્યુટરાઇઝ 9 હજાર હોર્સ પાવર ધરાવતું રેલવે એન્જિન બનાવાયું છે, જે દુનિયામાં નવા પ્રકારનું મોડલ છે. આ એન્જિન 89 ટકા મેક ઇન ઇન્ડિયાની બનાવટનું છે. રેલવે મંત્રીએ આ અંગે આશા વ્યક્ત કરી હતી કે, આ એન્જિનના ઉદઘાટનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવશે.
ભારતીય રેલવેમાં હાલ 5 થી 7 હજાર હોર્સપાવર ધરાવતાં મેન્યુઅલી અને કોમ્પ્યુટરાઇઝ એન્જિન કાર્યરત્ છે. જ્યારે દાહોદમાં બનાવાયેલું રેલવે એન્જિન 9 હજાર હોર્સ પાવરવાળું હોવાથી વધારે લોડ ખેંચવાની સાથે વધારે સ્પીડ પણ પકડી શકશે. તાપમાન, સ્પીડ, ટેકનિકલ ખામી, તેનું નિરાકરણ, ટ્રેક પરનાં સંભવિત જોખમો વિશે આ કોમ્પ્યૂટરાઇઝ્ડ એન્જિન માહિતી આપતું રહેશે અને જાતે જ કામ કરતું રહેશે.
અમદાવાદ રેલવે સ્ટેશનનું નિરીક્ષણ
શનિવારે સવારે રેલવેમંત્રીએ અમદાવાદ રેલવે સ્ટેશનની મુલાકાત લઈ રિ-ડેવલોપમેન્ટની કામગીરીની પણ સમીક્ષા કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, જર્મની, જાપાનમાં આ પ્રકારનું કામ કરવામાં 7, 9 કે પછી 12 વર્ષ લાગે છે, ત્યારે ભારતમાં હવે સાડા ચાર વર્ષમાં આ પ્રકારનાં કામ થઈ રહ્યાં છે. જે જોઈને વિદેશી ઇજનેરો પણ અચંબિત થઈ ગયા છે. અમદાવાદ રેલવે સ્ટેશને ગુણવત્તામાં કોઈ બાંધછોડ કર્યા વગર દરમહિને એક ફ્લોર તૈયાર કરાઈ રહ્યો છે.


comments powered by Disqus