અખંડ ભારતના શિલ્પી અને સોમનાથ મંદિરના ભવ્ય પુનઃ નિર્માણના સંકલ્પકર્તા લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરાઈ. ટ્રસ્ટી પરિવાર સહિત જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ સોમનાથસ્થિત સરદાર પટેલની પ્રતિમાને શાસ્ત્રોક્ત શ્લોકોચ્ચાર સાથે પુષ્પાંજલિ અર્પી હતી.

