2000 વર્ષ જૂની પદ્વતિથી બનેલું GPS વગરનું ‘કૌડિન્ય’ જહાજ ઓમાન રવાના

Wednesday 31st December 2025 04:48 EST
 
 

ભારતીય નૌકાદળના સ્વદેશી નિર્મિત પરંપરાગત સઢવાળા જહાજ ‘INSV કૌંડિન્યા’ પોરબંદરથી ઓમાનની પ્રથમ વિદેશયાત્રાએ રવાના થયું છે. ઓમાન સુધી પહોંચવા 750 નોટિકલ માઇલ્સ કાપતાં તેને 15થી 20 દિવસ લાગશે. જહાજના ક્રૂમાં 4 અધિકારીઓ અને 13 નૌકાદળના ખલાસી છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના પ્રાચીન દરિયાઈ વારસાને પુનર્જીવિત કરવાનો અને હિન્દ મહાસાગર ક્ષેત્રના સભ્યતાગત સંબંધોને ઊજવવાનો છે. કૌંડિન્યાનું નિર્માણ અજંતા ગુફાનાં ચિત્રો પર આધારિત 2 હજાર વર્ષ જૂની ટેક્નોલોજીથી કરાયું છે.


comments powered by Disqus