ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. જેઠાભાઈએ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના નિવાસસ્થાને જઈ ભૂપેન્દ્ર પટેલ, જગદીશ વિશ્વકર્મા અને રત્નાકરની ઉપસ્થિતિમાં રાજીનામું સોંપ્યું હતું, જેનો વિધાનસભાના અધ્યક્ષે તત્કાલ સ્વીકાર કર્યો છે.
જેઠાભાઈ ભરવાડે કામનું ભારણ વધુ હોવાથી અને અન્ય હોદ્દાઓ અને સામાજિક જવાબદારીની વ્યસ્તતાને કારણે આ પદ છોડવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે.

