અમદાવાદઃ સુભાષબ્રિજ મામલે વધુ એક વાર અમદાવાદ મનપાની બેદરકારી સામે આવી છે. બ્રિજની કામગીરી 5 મહિના ચાલ્યા બાદ હવે બ્રિજને સંપૂર્ણ તોડી પાડવાનો નિર્ણય લેવાયો છે. બ્રિજમાં રિપેરિંગ કામ સમયે પિલરમાં પણ તિરાડો જોવા મળી હતી, જેનો આઇઆઇટી રુડકી અને ગાંધીનગર પાસે રિપોર્ટ કરાવાતાં એજન્સી દ્વારા બ્રિજ નવો બનાવવા અભિપ્રાય અપાયો છે. હયાત બ્રિજને તોડી પાડવા અંગે મ્યુ. કમિશનર બંચ્છાનિધિ પાનીએ જણાવ્યું બ્રિજના પિલર 53 વર્ષ જૂના હોવાથી તેને પણ નવા બનાવવા અભિપ્રાય મળ્યો છે. જો બ્રિજના સ્પાન અને પિલર નવા બને તો તેનું આયુષ્ય 100 વર્ષ સુધી ચાલી શકે છે.

