નવી દિલ્હીઃ કોક્રોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજિત દીપક એક મોટા આંદોલનની તૈયારી કરી રહ્યા છે. તેમણે સોમવારે જાહેરાત કરી હતી કે તેઓ પરીક્ષામાં ગેરરીતિ અંગે શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગણી સાથે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન શરૂ કરવા માટે 6 જૂને ભારત પાછા ફરશે. અભિજિતે સમર્થકો અને વિદ્યાર્થીઓને તેમના વિરોધમાં જોડાવા વિનંતી કરી છે.

