બિદડાઃ એઆઇ અને વન્યજીવ સંરક્ષણના અદ્ભુત મિશ્રણમાં બિદડા સર્વોદય ટ્રસ્ટ અને જયા રિહેબિલિટેશન ઇન્સ્ટિટ્યૂટે હરણ માટે ભારતનું પ્રથમ એઆઇ-ડિઝાઇન કરેલા પ્રોસ્થેટિક લિમ્બ વિકસાવ્યું છે, જે પ્રાણી રિહેબિલિટેશનમાં માઇલસ્ટોન છે.
હરણો માટે પ્રોસ્થેટિક બનાવવાના પરંપરાગત પ્રયાસો અનેક વખત અસફળ રહ્યા છે, જેમાં ડિઝાઇનની મુશ્કેલીઓ જેમ કે યોગ્ય સસ્પેન્શન અને જંગલી વાતાવરણમાં ટકાઉપણાની સમસ્યા હતી. હતાશ ન થઈને સંસ્થાની ટીમે નવીન ઉકેલો માટે એઆઇ ટેક્નોલોજીની મદદ લીધી. એઆઇએ જટિલ બાયોમિકેનિકલ ડેટા વિશ્લેષણ કરીને યોગ્ય સસ્પેન્શન સાથે ઓપ્ટિમાઇઝ્ડ ડિઝાઇન આપી, જેણે અમારા અભિગમને બદલી નાખ્યો.

