અમદાવાદઃ ગુજરાત ATSએ પકડેલા 3 આતંકી પાસેથી ઘાતક રાઇઝિન ઝેર અને હથિયારો કબજે કરાયા બાદ કેસની ગંભીરતાને ધ્યાને લઈને કેન્દ્રીય ગૃહવિભાગે તપાસ NIAને સોંપવા આદેશ આપ્યો છે. હવે NIAની અમદાવાદ યુનિટ આ આતંકી નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ કરશે. આ ત્રણેય આતંકી ISKP હેન્ડલર અબુ ખદીજા સાથે સંપર્કમાં હતા.

