નવી દિલ્હીઃ ચીને અરૂણાચલ પ્રદેશમાં ભારતના વિસ્તારો પચાવી પાડ્યા છે અને તેના પર સૈન્ય માળખું વિકસાવી રહ્યું છે. આ ઘટનાક્રમ વચ્ચે કેન્દ્ર સરકારે ચીનની 4 પાવર ઇક્વિપમેન્ટ કંપનીને સરકારી પ્રોજેક્ટમાં બોલી લગાવવા મંજૂરી આપી છે. સરકારના આ નિર્ણયનો વિરોધ કરતાં કોંગ્રેસે શુક્રવારે જણાવ્યું કે, મોદી સરકારનો ચીન સામે નતમસ્તક થવાનો સિલસિલો ચાલુ છે, જેનાથી દેશના ઉદ્યોગોને વિશેષરૂપે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને મોટું નુકસાન થઈ રહ્યું છે.
