ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના ગરાજિયા ગામે 6 જુલાઈએ સવારે સિંહણે માલધારી કાળુભાઈ બોઘાભાઈ પરમાર પર હુમલો કર્યો હતો. જેનો વીડિયો વાઇરલ થયો છે. પ્રાથમિક મળતી વિગતો અનુસાર કાળુભાઈ ગાયોને નીરણ નાખવા જતા હતા ત્યારે તેમનો સામનો સિંહણ સાથે થયો હતો અને તેમનો હાથનો ભાગ સિંહણે મોઢામાં દબાવી લીધો હતો. ત્યારબાદ માલધારીએ સિંહણને પંપાળતા ગળાના ભાગે પંજો માર્યો હતો. જો કે એકત્ર થયેલા લોકોને જોતાં સિંહણ કાળુભાઈને છોડી
જતી રહી હતી. સિંહના આ પ્રકારના હુમલા બાદ વનવિભાગની ટીમ સતર્ક થઈ છે અને
તે સિંહને પકડવા માટે ટીમ તૈયાર કરાઈ છે.

