ભરૂચની જામા મસ્જિદનો વિવાદ પાકિસ્તાન સુધી પહોંચ્યો

Wednesday 08th July 2026 06:51 EDT
 
 

ભરૂચઃ ભારતમાં મંદિર-મસ્જિદ સંબંધિત વિવિધ વિવાદો વચ્ચે હવે ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદનો મુદ્દો ફરી ચર્ચામાં છે. પાકિસ્તાનના પૂર્વ હાઇકમિશનર અબ્દુલ બાસિતના સોશિયલ મીડિયા પર કરાયેલા નિવેદન બાદ આ મુદ્દે રાજકીય અને ધાર્મિક ચર્ચાઓ તેજ બની છે.
અબ્દુલ બાસિતે જ્ઞાનવાપી અને સંભલ સહિતનાં ધાર્મિક સ્થળોના વિવાદો સાથે ભરૂચની જામા મસ્જિદનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, કદાચ અહીંયા 600-700 વર્ષ પહેલાં જૈન મંદિર હશે. પરંતુ કાર્યરત્ ન હોવાથી તેના પર એક મસ્જિદ બની ગઈ હોય. સરવે કરાવો અને તેના આધારે નિર્ણય થવો જોઈએ.
અબ્દુલ બાસિતના નિવેદન પર મુક્તાનંદ સ્વામીએ જણાવ્યું કે, પાક. ઉચ્ચાયુક્તે સ્વીકાર્યું છે કે આશરે 700 વર્ષ પહેલાં આ સ્થળ મંદિર હતું અને અલાઉદ્દીન ખિલજીના સમયમાં તેને તોડી મસ્જિદમાં ફેરવાયું. તેમણે વધુમાં કહ્યું, પાકિસ્તાનના પૂર્વ રાજદ્વારીને દ્વારા આ મુદ્દે નિવેદનની જરૂરિયાત ઊભી થવી જ અનેક પ્રશ્નો ઊભા કરે છે.


comments powered by Disqus