મહેસાણાઃ સોમનાથ રોડ પર આવેલી પંડિત દીનદયાલ નગર આવાસ યોજનાની બિલ્ડિંગમાં 2 જુલાઈએ વહેલી સવારે આઘાતજનક ઘટના સામે આવી છે. આવાસની બાજુમાં આવેલી શિવકૃપા સોસાયટીમાં રહેતી અને ધોરણ-7માં અભ્યાસ કરતી ચાર્મી પરમારે અગમ્ય કારણોસર છઠ્ઠા માળેથી મોતની છલાંગ લગાવી જીવન ટુંકાવી લીધું. તપાસમાં સામે આવ્યું છે કે, મૃતક વિદ્યાર્થિની ઘરેથી સ્કૂલે જવા નીકળી હતી તે દરમિયાન આ ઘટના બની છે. કિશોરીએ કેમ આત્મઘાતી પગલું ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી.
