અમિત ખૂંટ આત્મહત્યાકેસની આરોપી પૂજા રાજગોરનું અકસ્માતમાં મોત

Wednesday 10th June 2026 06:12 EDT
 
 

રાજકોટઃ ગોંડલ નજીક આવેલા શ્રીનાથગઢ-મોવિયા રોડ પર સર્જાયેલા અકસ્માતમાં રીબડાના ચકચારી અમિત ખૂંટ આપઘાત કેસની આરોપી પૂજા રાજગોરનું મોત નીપજયું હતું. જ્યારે અન્ય 4ને ઈજા પહોંચતાં સારવાર હેઠળ ખસેડાયા હતા. મૃતક પૂજાનો મૃતદેહ માતા-પિતા સ્વીકારવા તૈયાર ન હોવાથી પૂર્વ પતિએ 6 કલાક બાદ તેને સ્વીકારતાં પોલીસે મૃતદેહનું પીએમ કરાવ્યું હતું. આ દુર્ઘટનામાં મૂળ જૂનાગઢના અને હાલ રાજકોટમાં રહેતા 28 વર્ષીય પૂજાબેન જિતેનભાઈ રાજગોરનું મોત નીપજ્યું છે. આ તમામ મિત્રો-પરિચિતો સાસણગીર ખાતે વેકેશન માણવા ગયા હતા અને ત્યાંથી રાજકોટ પરત ફરી રહ્યા હતા.


comments powered by Disqus