ગાંધીધામઃ બાલાજી નમકીનની એજન્સી ધરાવતા ગાંધીધામ શહેર ભાજપ મંત્રી દિપેશભાઈ ત્રિપાઠીએ આપઘાત કરી લીધો. તેમની સ્યૂસાઇડ નોટના આધારે 18 લોકો સામે ફરિયાદ થઈ છે. અગાઉના કર્મચારીએ તેમને મોટી ખોટ પહોંચાડી હતી, જે બાદ વ્યાજખોરોના વિષચક્રમાં ફસાયા અને ધંધો પડી ભાંગ્યો હતો. વ્યાજખોરોના ત્રાસથી આખરે તેમણે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
