અમદાવાદઃ રાજ્યસભાના ભાજપ સાંસદ ગોવિંદ ધોળકિયાએ સોમવારે સરકારને જાણીતા ઉદ્યોગપતિ અને સમાજની સેવા કરતા રતન તાતાને મરણોતર ભારતરત્ન આપવા અપીલ કરી. રાજ્યસભામાં મુદ્દો ઉઠાવતાં ધોળકિયાએ કહ્યું કે, રતન તાતાને ભારતરત્ન આપવો માત્ર એક વ્યક્તિને સન્માન નથી, આ તેમની ‘નેશન ફર્સ્ટ’ ભાવનાને સન્માન હશે.

