વરસાદના 10 દિવસ બાદ પણ રાધનપુર જળમગ્ન

Wednesday 12th August 2026 06:15 EDT
 
 

પાટણ: રાધનપુરમાં 10 દિવસ પહેલાં 24 કલાકમાં 13.5 ઇંચ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદ થંભી ગયાને આશરે 10-10 દિવસનો સમય વીતી ગયો હોવા છતાં શહેરના સર્વિસ રોડ પરથી પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યાં. નેશનલ હાઈવે બ્રિજની સાઈડમાં આવેલા આ મુખ્ય સર્વિસ રોડ પર હાલ પણ ઢીંચણસમા પાણી ભરાયેલાં છે. આ બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને અમદાવાદને જોડતો મુખ્ય માર્ગ છે, જ્યાંથી રોજ 50 હજારથી વધુ વાહનો પસાર થાય છે. ઉપરાંત 1500થી વધુ છાત્રો દરરોજ આ દુર્ગંધયુક્ત પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે.


comments powered by Disqus