શ્રીકૃષ્ણ જન્મભૂમિ માટે 6 ડિસેમ્બરથી કારસેવાનું એલાન

Wednesday 12th August 2026 06:14 EDT
 
 

મથુરાઃ સંતસમાજે મથુરાની શ્રીકૃષ્ણ જન્મભૂમિની મુક્તિ માટે હવે કારસેવાનું એલાન કર્યું છે. મથુરાના રાધાકુંડ ક્ષેત્રના જુહેંદીસ્થિત ચિત્રગુપ્ત પીઠમાં રવિવાર સવારથી પોલીસ તંત્રની બાજનજર રહી હતી. કારસેવા મુદ્દે સવારે પીઠમાં હવન-પૂજન કરાયું હતું. હવનપૂજન બાદ સાધુસંતોની બેઠક યોજાઈ હતી અને 6 ડિસેમ્બરના રોજ કારસેવાની જાહેરાત કરાઈ હતી.
શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિરના નિર્માણના ઇરાદા સાથે મગાવાયેલા ગુલાબી પથ્થરોનો પહેલો જથ્થો શુક્રવારે મોડી રાત્રે અહીં આવી પહોંચ્યો હતો. આ પથ્થરો ભરતપુના બંસીપહાડપુરથી મગાવાયા છે. આ પથ્થરોનો ઉપયોગ અયોધ્યામાં શ્રીરામ મંદિરના ભવ્ય નિર્માણ માટે કરાયો છે. ચિત્રગુપ્ત પીઠાધીશ્વર સ્વામી સચ્ચિદાનંદ મહારાજે આ પથ્થરો મગાવ્યા હતા. તેમણે આ પહેલાં કહ્યું હતું કે, 9 ઓગસ્ટે આશ્રમથી વિધિવત્ કારસેવાની જાહેરાત થશે અને તેના માટે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાશે.


comments powered by Disqus