પ્રજાનાં કામ થતાં નથીઃ 5 ધારાસભ્યનો મુખ્યમંત્રીને પત્ર

Tuesday 13th January 2026 15:34 EST
 
 

વડોદરાઃ રાજ્યના વહીવટી તંત્રમાં વ્યાપ્ત અરાજકતા અને અધિકારીઓની ખરાબ માનસિકતા સામે વડોદરાના 5 ધારાસભ્યોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને ચિંતા વ્યક્ત કરી છે. ધારાસભ્ય કેતન ઇનામદાર, અક્ષય પટેલ, શૈલેશ મહેતા, ચૈતન્યસિંહ ઝાલા અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા લખાયેલા આ પત્રમાં લોલમલોલ વહીવટી વ્યવસ્થાની ટીકા કરી કામ થતાં ન હોવાનો બળાપો કાઢ્યો હતો.


comments powered by Disqus