વલસાડઃ ધરમપુરમાં આવેલા સર્પ સંશોધન કેન્દ્ર (સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ-SRI)એ ગુજરાતમાં મળતા સાપની ચાર ઝેરી પ્રજાતિનો લાયોફિલાઇઝ્ડ (ફ્રિઝ-ડ્રાય પાવડર સ્વરૂપ) ઝેર તેલંગાણાની કંપની મેસર્સ વિન્સ બાયોપ્રોડક્ટ્સ લિમિટેડને આપ્યું છે. આ એન્ટિ સ્નેક વેનમ ગુજરાતમાં ઉપલબ્ધ થશે ત્યારે રાજ્યના સર્પદંશના મૃત્યુદરમાં ઘટાડો આવશે. વનમંત્રી અર્જુન મોઢવાડિયાએ કહ્યું, રાજ્યમાં સાપ કરડવાથી થતાં મૃત્યુને ઘટાડવા ગુજરાત સ્પેસિફિક એન્ટિ સ્નેક વેનમ વિકસાવી રહ્યું છે. ધરમપુરસ્થિત સર્પ સંશોધન કેન્દ્ર સાપની સંભાળ અને ઝેર કાઢવા WHOના નિયમોનું પાલન કરે છે.

