સલાયાનું જહાજ ઓમાનમાં ડૂબ્યુંઃ 2નાં મોત

Wednesday 15th July 2026 05:25 EDT
 

ગાંધીનગરઃ ઓમાનના દરિયામાં સલાયાનું માલવાહક જહાજ ‘મહેબૂબ એ બુખારી’ ડૂબી ગયું છે. આ દુર્ઘટનામાં જહાજ પર સવાર 14 ખલાસી પૈકી 2નાં મોત થયાં છે, જ્યારે 12 ખલાસીને બચાવી લેવાયા છે. જહાજ 3 જુલાઈએ દુબઈથી કાર્ગો ભરીને જીબુટી રવાના થયું હતું, જે ખરાબ હવામાનના કારણે ઓમાનના દરિયામાં ડૂબવા લાગ્યું હતું. આખરે ટંડેલે તમામ ક્રૂ મેમ્બરને જીવ બચાવવા દરિયામાં કૂદવાનો આદેશ આપ્યો હતો.


comments powered by Disqus