અંબાજીમાં ભાદરવી પૂનમે પ્રસાદનાં 40 લાખ પેકેટ બનાવાશે

Wednesday 16th September 2026 06:25 EDT
 
 

અંબાજીઃ ભાદરવી પૂનમના મેળામાં લાખો શ્રદ્ધાળુ મોહનથાળનો પ્રસાદ અચૂક લઈ જતા હોય છે. શ્રદ્ધાળુઓના ધસારાને જોતાં આ વખતે મોહનથાળના 1000 ઘાણમાંથી 40 લાખ પેકેટ બનાવાશે. આ અંગે જિલ્લા કલેક્ટર અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલે જણાવ્યું હતું કે, આ વર્ષે પ્રસાદ બનાવવાનો પ્રારંભ નારીશક્તિના હસ્તે કરાયો હતો. મહામેળા દરમિયાન 40 લાખ પેકેટ તૈયાર કરવાનું લક્ષ્ય રખાયું છે, જે બગડે નહીં એટલે  દૂધનો નહીં શુદ્ધ ઘીનો ઉપયોગ થાય છે.


comments powered by Disqus