ગણેશચતુર્થી પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયેલના નિવાસે પહોંચીને ગણપતિ બાપ્પાની પૂજા-અર્ચના કરી હતી. વડાપ્રધાને સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે, તેમણે ગણેશજીને સૌના સુખ અને કલ્યાણની પ્રાર્થના કરી હતી. ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને પણ ગોયેલના નિવાસે ગણપતિ બાપ્પાની પૂજા કરી હતી.

