સોમનાથ મહાદેવ મંદિરની સ્થાપના દિવસ નિમિત્તે તીર્થ પુરોહિત શ્રી સોમપુરા બ્રાહ્મણ સમાજ દ્વારા ભવ્ય પાલખીયાત્રાનું આયોજન કરાયું. છેલ્લાં ત્રણ વર્ષથી વૈશાખ સુદ પાંચમના દિવસ આ યાત્રા નીકળે છે. યાત્રા પૂર્વે જૂના સોમનાથ મંદિરે પાલખીપૂજન કરવામાં આવ્યું હતું. જેમાં આંતરરાષ્ટ્રીય કિન્નર અખાડા મહામંડલેશ્વર 1008 કાલી નંદગિરિ ઉજ્જૈન તેલંગણા સહિતના સંતો યાત્રામાં જોડાયા હતા.

