ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ 14 જૂને વડનગરની મુલાકાત લીધી. આ પ્રવાસ દરમિયાન તેમણે વડાપ્રધાન મોદીના પૈતૃક ઘરની મુલાકાત લીધી. આ નિમિત્તે તેમણે કહ્યું કે, આ જ ગલીઓમાં મોદીજીનું બાળપણ વીત્યું હતું. સામાન્ય પરિવારના બાળકથી મા ભારતીની સેવા કાજે જીવન સમર્પિત કરી વૈશ્વિક નેતા બનવા સુધીની તેમની યાત્રા પ્રેરણાદાયક છે.

