લવજેહાદના વિરોધમાં દહાણુ સહિત 5 ગામ સજ્જડ બંધ

Wednesday 17th June 2026 05:56 EDT
 
 

વાપીઃ મહારાષ્ટ્રના બોરડી, ઘોલવડ અને દહાણું વિસ્તારની ચાર હિન્દુ અને જૈન યુવતીને ફસાવાના વિરોધમાં બુધવારે બંધનું એલાન અપાયું હતું. જેને તમામ વિસ્તારના વેપારીઓએ સમર્થન આપતાં જડબેસલાક બંધ રહ્યું હતું. સાંજે દહાણુ ખાતે બેઠકમાં હિન્દુ સંગઠનના આગેવાનો સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા. ઉમરગામ નજીકના મહારાષ્ટ્રના બોરડી, ઘોલવડ અને દહાણુ વિસ્તારમાં ચાર જૈન અને હિન્દુ યુવતીને લવજેહાદની આડમાં ધર્માંતરણ કરાવી વિદેશ મોકલવાનો મામલો પ્રકાશમાં આવતાં લોકોમાં આક્રોશ ઊઠ્યો હતો. વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય હિન્દુ સંગઠનોએ ઘટનાના વિરોધમાં બુધવારે બંધનું એલાન આપ્યું હતું.


comments powered by Disqus