જેરૂસલેમઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25-26 ફેબ્રુઆરીએ ઇઝરાયેલના પ્રવાસે જશે. ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએ રવિવારે મોદીના ઇઝરાયલા પ્રવાસના સમાચાર આપ્યા હતા. નેતન્યાહૂએ જણાવ્યું કે, ઈઝરાયલ અને ભારત વચ્ચે મજબૂત સંબંધો છે. મોદીના પ્રવાસ દરમિયાન તમામ ક્ષેત્રે સહકાર મુદ્દે ચર્ચા કરાશે. ભારત નાનો દેશ નથી, 140 કરોડની વસ્તી ધરાવતો શક્તિશાળી, લોકપ્રિય દેશ છે.

