માળિયાના ખંભાળિયામાં ભાગવત સપ્તાહના આયોજનમાં રાત્રે લોકડાયરો પણ યોજાયો હતો. આ ડાયરામાં માયાભાઈ આહિર અને ગોપાલ સાધુ પર ચલણી નોટોનો વરસાદ થયો હતો અને બંને કલાકારો નોટોથી ઢંકાઈ ગયા હતા. આ રકમ સમાજમાં શિક્ષણ પાછળ ખર્ચવામાં આવનાર છે. ઉદ્યોગપતિ હર્ષભાઈ નંદાણિયાએ ગુજરાત આહિર સમાજ કન્યા છાત્રાલય અને શૈક્ષણિક સંકુલ અમદાવાદને રૂ. 11,11,111નો ચેક અર્પણ કર્યો હતો.

