ફતેપુરાઃ દેવગઢ બારિયાના વડભેડ ગામે રહેતાં ચંપાબહેન બિંદેશભાઈએ અગમ્ય કારણોસર પોતાનાં 4 માસૂમ બાળકો સાથે કૂવામાં કૂદીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો. આ ઘટનામાં માતા અને એક બાળકીનો બચાવ થયો છે, જ્યારે અન્ય 3 બાળકોનાં મોત નીપજ્યાં. આ ઘટના સમયે ત્યાંથી પસાર થતી એક સ્થાનિક મહિલાની નજર પડતાં તેણે ગ્રામજનોની મદદથી રેસ્ક્યૂ કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં માતા ચંપાબહેન અને એક બાળકીનો જીવ બચી ગયો હતો.
