વનકર્મી પર હુમલાના કેસમાં ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની જેલ

Wednesday 24th June 2026 06:23 EDT
 
 

અમદાવાદઃ નર્મદા એડિશનલ સેશન્સ કોર્ટે વનવિભાગના કર્મચારીઓ પર હુમલાના કેસમાં આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા છે અને 7 વર્ષની જેલની સજા સંભળાવી છે. ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમનાં પત્ની શકુંતલા વસાવા સહિત તમામ 9 આરોપીને 7 વર્ષની કેદ અને રૂ. 25 હજારનો દંડ કરાયો છે. આ 9 આરોપીઓમાં 4 મહિલા અને 5 પુરુષ આરોપી સામેલ છે. ધારાસભ્ય ચૈતર વસાવાને અલગ-અલગ ગુનાઓમાં સજા ફટકારાતાં ભરૂચ નર્મદાના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદીએ જણાવ્યું કે, જો કોઈ ધારાસભ્યને બે વર્ષથી વધુની સજા થાય તો તે ધારાસભ્ય ગણાશે નહીં અને તેની બેઠક ખાલી ગણાશે.


comments powered by Disqus