પેટ્રોલ અછતની અફવાથી અફરાતફરી

Wednesday 25th March 2026 06:06 EDT
 
 

ઇરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે પેટ્રોલ-ડીઝલનો જથ્થો ખૂટી જવાની અફવા ફેલાતાં રાજ્યના પેટ્રોલપંપો પર સાંજે 5 વાગ્યાથી વાહનોની કતારો જોવા મળી હતી. વડોદરામાં પેટ્રોલપંપ પર રોજનું પેટ્રોલનું વેચાણ 8 લાખ લિટર જેટલું થતું હતું, જો કે એટલો જ જથ્થો સાંજે 5થી 7માં વેચાઈ જતાં સંચાલકોએ પેટ્રોલપંપ બંધ કરવાનો વારો આવ્યો હતો. ભારત પાસે અંદાજે 70 દિવસનો પૂરતો સ્ટોક હોવાના સરકારના આશ્વાસન છતાં સોમવારે અફરાતફરીનું સર્જાઈ હતી.


comments powered by Disqus